યાજ્ઞવલ્કય પ્રકરણ ૨
યાજ્ઞવલ્કય પ્રકરણ ૨ Yagnavalkay_2 હવે સ્કૂલ/ કોલેજમાંથી કાઢી મૂકાયેલા છોકરાના માબાપની કેવી મનોદશા હોય, બસ, એમ જ બ્રહ્મરથ અને સુનંદા તો ચિંતામાં પડયા. પહેલા તો ભાઈ વૈશમ્પાયન ઋષિના આશ્રમમાં પરાક્રમ કરી આવ્યા હતા એટલે બીજા ગુરુકુલોમાં પ્રવેશ ન મળ્યો. યાજ્ઞવલ્કય પોતે તો , જે જ્ઞાન બાળપણથી માબાપની પાસેથી ભણ્યો હતો તે વારંવાર પાકું કરતો રહ્યો. પણ અંતે થોડા સમય પાછી એક પછી એક ઋષિઓના આશ્રમમાં એને પ્રવેશ મળ્યો. બાશ્કલના આશ્રમમાં એણે ઋગવેદનો અભ્યાસ કર્યો. હિરણ્યગર્ભની પાસે સામવેદ શીખ્યા. અને અંતે આરુણિના આશ્રમમાં અથર્વવેદનું જ્ઞાન યાજ્ઞવલ્કયે પ્રાપ્ત કરી લીધું. છેલ્લે ઉદ્દાલક ઋષિના આશ્રમમાં રહી યજ્ઞ, હોમ કરવા માટેના વિધિવિધાન શીખી લીધા. ઉદ્દાલક તો યાજ્ઞવલ્કય ની તેજસ્વીતા પારખી ગયા અને એને પોતાના ગુરુકુળ માં અધ્યાપક તરીકે કાયમી સ્થાન આપવા માગતા હતા. પણ આગળ જોયું તે પ્રમાણે યાજ્ઞવલ્કય પાસેથી યજુર્વેદનું જ્ઞાન છીનવાઇ ગયું હતું. વેદોનું સંપૂર્ણ જ્ઞાન તો યજુર્વેદ સિવાય કેમ આવે એ વિચારે એ ખૂબ દુઃખી હ...